Garbh Sanskar : પુંસવન સંસ્કાર
‘પુંસવન’ એટલે ( Garbh Sanskar Book ) પુરૂષપણું પેદા કરવું. ‘પુમાલબ્ધો જાયતે પેન યત્ પુંસવનમ્’ (ચક્રપાણિદત્ત) જેનાથી ગર્ભમાં પુરુષત્વની ઉપલબ્ધ થાય છે તે પુંસવનમ્.
કુંભાર ચાકડા ઉપર માટીનો પિંડો મૂકે છે ત્યારે વાસણનો આકાર અવ્યક્ત હોય છે અને તેમાંથી ઇચ્છાનુસાર પાત્ર બનાવી શકે છે. ઘડો કે માટલી, તે રીતે ગર્ભ બે ત્રણ માસનો થાય ત્યાં સુધી તેમાં લિંગ અવ્યક્ત હોવાથી તેને પુત્રગર્ભ રૂપે કે પુત્રીગર્ભ રૂપે ઘાટ ઘડી શકાય છે. સમયસર અને વ્યવસ્થિત પ્રયોગો કરવામાં આવે તો માતા, પિતા અને ચિકિત્સક અવ્યક્ત ગર્ભમાંથી ઈચ્છાનુસાર પુત્ર કે પુત્રીનું ધડતર કરી શકે છે.
પ્રેમ, બળ, સુખ, આજીવિકા, વંશવિસ્તાર, વિશાળ પરિવાર, કીર્તિ આલોક અને પરલોકનું સુખ તેમજ મનની શાન્તિ અને સંતોષ, (ઇચ્છિત-ઉત્તમ) સંતાન (પ્રાયઃ પુત્રસંતાન)ને આધીન છે.
આપણી પુરુષપ્રધાન સમાજરચનાને કારણે પ્રાયઃ મોટા ભાગનાં દંપતી પુત્ર સંતાન ઇચ્છતાં હોવાથી ગર્ભને પુરુષાકારમાં પલટાવવાની માંગ વધુ રહેતી હોવાથી ‘પુંસવન સંસ્કાર’ શબ્દ યોજવામાં આવ્યો છે. ‘પુમાનૢ સૂયતે અનેન કર્મણા ઈતિ પુંસવન કર્મ’ – જે કર્મથી પુત્ર જન્મે છે તેને ‘પુંસવન કર્મ’ કહેવામાં આવે છે. જેને લોકભાષામાં ‘નાળપરિવર્તન’ કે ‘લિંગપરિવર્તન’ કહેવાય છે.
અંગ્રેજીમાં આ ક્રિયાને ‘ધી મેથડ્ઝ ઑફ સેક્સ રિવર્સલ’ કહેવામાં આવે છે.
આ પુંસવન સંસ્કારનો એક વિશાળ અર્થ પણ કરવામાં આવે છે તે પ્રમાણે ‘ઇચ્છિત સંતાન’ પણ થઈ શકે. તેમાં કેવળ પુત્ર જ નહીં. પુત્રી ગર્ભની ઇચ્છા પણ સમાવિષ્ટ છે. તે ઉપરાંત જન્મનાર બાળકના રંગ, ગુણ, વિશેષતા, આયુષ્ય, આરોગ્ય વગેરેનું પણ ઇચ્છિત પરિવર્તન કરાવી શકાય છે. આગળ જન્મેલાં બાળક કરતાં આ બાળકમાં ઇચ્છિત તફાવત પણ લાવી શકાય છે.
આગળ બધી પુત્રી જન્મી હોય તો પુત્ર જન્મે; આગળ પુત્રો જ જન્મ્યા હોય તો પુત્રી જન્મે; આગળનાં બાળકો કાળાં હોય તો જન્મનારું બાળક ગોરું જન્મે અગાઉનાં બાળકો બુદ્ધ જન્મ્યાં હોય તો બુદ્ધિશાળી કે પ્રબુદ્ધ જન્મે, માંદાને બદલે તંદુરસ્ત જન્મે, દુર્ગુણીને બદલે સદ્ગુણી જન્મે વગેરે. ‘પૂર્વના ગુણ છોડીને તેનાથી વિપરીત ગુણમાં પરિવર્તન’ એવો પણ પુંસવન પ્રયોગનો અર્થ કરી શકાય.
પુરુષાર્થનો વિજય : Garbh Sanskar In Gujarati Book
પ્રાયઃ આર્તવની પ્રબળતાથી પુત્રી, શુક્રની પ્રબળતાથી પુત્ર અને બંનેની સમાનતાથી નપુંસક સંતાન જન્મે છે. (છતાં ગર્વોત્પતિ બાબતમાં કંઈ ચોક્કસ ખાતરીપૂર્વક કહી ન શકાય) પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે તે નિયમમાં ક્યારેક પરિવર્તનની પણ શક્યતા રહેલી છે.
એટલે કે, પુંસવન પ્રયોગ કરવાથી ૧૦૦ ટકા પુત્ર જ થશે તેવી કોઈ ચિકિત્સક ખાતરી ન આપી શકે. આ બાબતમાં મારો બહોળો અનુભવ કહું તો તેમાં લગભગ ૯૦ ટકા જેટલી સફળતા તો મળે છે જ. પ્રયોગની અવ્યવસ્થા, તેમાં થયેલી ભૂલો, કર્મફળ, પૂર્વજન્મના ઋણાનુબંધ, આશીર્વાદ, અભિશાપ વગેરે કારણો પણ સંતાન થવામાં કારણભૂત ગણાતાં હોય છે. ઉદાહરણ આપીએ તો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અગાઉથી નક્કી થઈ ગયો હતો. ભીષ્મ પિતામહને મારવા માટે અંબાએ શિખંડીનો જન્મ ધારણ કર્યો હતો. રામાયણ, મહાભારત કે તેવા વિશ્વસાહિત્યમાં પૂનર્જન્મ, ઋણાનુબંધ, ભવિષ્યવાણી વગેરે રૂપે અગાઉથી જન્મ નિશ્ચિત થયાનાં ઘણાં ઉદાહરણો મળી આવે છે તેથી તેવી બાબતોને દસ ટકા મહત્ત્વ તો મળે જ.
થોડું શરમભરેલું છે ? : krishna garbh sanskar
ઉત્તમ પ્રકારનાં પશુઓ કેવી રીતે ઉત્પન્ન કરવાં અને ઉત્તમ પ્રકારનાં વૃક્ષો કેવી રીતે ઉત્પન્ન કરવાં એ મનુષ્યો જાણે, પણ પોતાની જાતિને કેવી રીતે અનુક્રમે સુધારીને સર્વોત્કૃષ્ટ કરવી એ મનુષ્યો ન જાણે, એ શું બુદ્ધિમાનમાં ગણાતા મનુષ્યોને થોડું શરમભરેલું છે ?
-‘યોગિનીકુમારી’માંથી
સો મણ તેલે અંધારું : Garbh Sanskar Book
ઉત્તમ પ્રજાને કેમ પ્રાપ્ત કરવી, એ વિદ્યાને જાણવી, એના જેવી ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષો માટે જાણવાની અન્ય ( Garbh Sanskar Book ) કોઈ પણ શ્રેષ્ઠ વિદ્યા નથી. પણ સો મણ તેલે અંધારું, રહે તેમ આ અત્યંત મહત્ત્વના વિષયમાં જ મનુષ્યોના હૃદયમાં કાળી ચૌદશનું અંધારું ભર્યું છે. પુત્ર-પુત્રીઓનાં શરીરના પાયા નંખાઈ ગયા પછી, તેમના મગજમાં વિવિધ માનસિક શક્તિઓના ઉત્તમ કે કનિષ્ઠ બીજકો રોપાઈ ગયા પછી, તેમનાં શરીરને કેળવવાની કસરતશાળાઓ રચવામાં આવી છે. તેમની માનસિક શક્તિઓને કેળવવાને શાળાઓ, પાઠશાળાઓ અને વિશ્વવિદ્યાલયો ઉઘાડવામાં આવ્યાં છે અને તેમને નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવાને માટે વિદ્વાનો અને ધર્મોપદેશકો મેદાનમાં નીકળી પડે છે.
-‘યોગિનીકુમારી’માંથી
ઉત્તમ પ્રજા : Garbh Sanskar Book
ઉત્તમ ગાયો, ( Garbh Sanskar Book ) ઉત્તમ બાળકો કે ઉત્તમ ઘોડા કરવાનો પ્રયત્ન થોડી વાર ત્યજી દો. ઉત્તમ વૃક્ષો ઉછેરવામાં, ઉત્તમ ઘર બાંધવામાં, ઉત્તમ વસ્રો સિવડાવવામાં અને એ વિનાનાં સેંકડો અને હજારો ઉત્તમ કામો કરવામાં તમે જે પરિશ્રમ કરો છો અને જે સમય ગાળો છો ને થોડી વાર બંધ રાખો અને ઉત્તમ પ્રજા કરવાના તમારા મુખ્ય અને પ્રથમ કર્તવ્યને હાથ ધરો. એકડા વિના જેમ સો કે હજાર, હજાર કે લાખ મીંડાં પણ નકામાં છે તેમ ઉત્તમ પ્રજા વિના તમારા સઘળા પરિશ્રમનાં પરિણામો નકામાં છે. તમારે ત્યાં આંબો હોય અને તેના મૂળમાં મીઠું નાખવાથી તથા એવા જ બીજા કોઈ પદાર્થો નાખવાથી નાળિયેર જેવડી કેરીઓ
આવવાની કોઈ ખાતરી આપતું હોય તો તેમ કરવામાં તમે શું વિલંબ કરો છો? અને જ્યારે તમારા પ્રયત્નથી નાળિયેર જેવડી કેરી તમારે ત્યાં આવે છે ત્યારે તે જોઈને તમને શું અસાધારણ આનંદ નથી પ્રગટતો ?
કેરી જેવાં તુચ્છ ફળ કરતાં, તમારી પ્રજારૂપ ફળ અત્યંત ઉચ્ચ છે. તેનું મૂલ્ય કોઈથી આંક્યું જાય એમ નથી. તમારા પ્રયત્નથી તે સર્વોત્તમ પ્રકારનું નીવડી નાનું હોય ત્યારે તમારા ઘરમાં સર્વને અસાધારણ આનંદ અને સુખનો હેતુ થઈ પડે અને મોટું થાય ત્યારે તમને અને આખા જગતને અપૂર્વ સુખ પ્રકટાવનાર થઈ પડે, એવો મનોહર દેખાવ જોવો શું તમને ગમતો નથી ?
-‘યોગિનીકુમારી’માંથી