Chankya Niti : હચમચાવી નાખે તેવા વાક્યો
ચાણક્ય નીતિ માં જણાવ્યું છે કે ( chankya niti ) વ્યક્તિ જ્યારે બીમાર પડે કે દુઃખી હોય, દુકાળની પરિસ્થિતિ સર્જાય કે દુશ્મન મુશ્કેલીઓ ઊભી કરે, કે પછી કોઈ કેસમાં ફસાઈ જનારી વ્યક્તિને બાતમી આપનાર બચાવી લે. કાયદાકીય મુશ્કેલીના સમયે અને મૃત્યુના સમયે સ્મશાન ઘાટ પર જે હાજર રહે છે તે જ સાચો મિત્ર છે. આ પ્રસંગો એવા છે જ્યારે મદદની અત્યંત જરૂર હોય છે, પણ સંસારનો નિયમ છે કે જે કોઈના કામમાં આવે છે તેને જ સમય આવે મદદ મળે છે. જે કોઈની મદદમાં નથી આવતું તેને કોણ મદદ કરશે ?
જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે.
જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે.
જે ચીજવસ્તુ મળવાની નક્કી હોય તેને મેળવવા જ પ્રયત્ન ( chankya niti english ) કરવો જોઈએ અને તેને લગતા કાર્યને જ પહેલાં પૂર્ણ કરવું જોઈએ. જે ચીજવસ્તુ મળશે તેની ખાતરી ન હોય તેની પાછળ દોડવાનો કોઈ અર્થ નથી. દિશાહિન દોટ મૂકનાર વ્યક્તિના હાથમાં કંઈ આવતું નથી. વ્યક્તિએ પોતાની શક્તિને અનુરૂપ નિશ્ચિત યોજના બનાવી આગળ વધવું જોઈએ. લોભમાં આંધળા થઈને વ્યક્તિએ ગમે ત્યાં ફાંફાં ન મારવા જોઈએ.
હિંદીમાં એક કહેવત છે કે, ‘આધી તજ પૂરી કો ધાવે, આધી મિલે ન પૂરી કો પાવે’ એટલે કે જે મનુષ્ય એક કામ પૂર્ણ ન થયું હોય અને બીજું કાર્ય મેળવવા ભાગદોડ કરે છે તેનું અડધું પૂર્ણ થયેલું કાર્ય પણ નાશ પામે છે.
વિવાહ: વિવાહ, વેર ને પ્રીત સરખે સરખાની રીત : ચાણક્ય નીતિ
આપણે જોઈએ ( chanakya neeti hindi ) છીએ કે સંસારમાં મોટાભાગના લોકો મોહ-માયાના આવરણમાં જકડાઈને સાધુ-મહાત્માઓનો સંગ કરતા નથી. સદ્વિચારોથી દૂર રહીને દુન્યવી બાબતોમાં જ ઓતપ્રોત રહે છે, પરંતુ સત્સંગ એટલે કે સારા વિચારો ધરાવતા સાધુપુરુષોનો સંગ તો બહુ ઓછા લોકો કરે છે. (ભગવાધારીઓને નમન કરવા અને તેમની સભાઓમાં ઉપસ્થિત રહીને ટાઇમપાસ કરવો તે સત્સંગ નથી. સત્સંગ એટલે સારા વિચારો ધરાવતા સાધુ મહાત્માઓનો સંગ અને તેમના સમાજોપયોગી વિચારોનું પોતાન જીવનમાં આચરણ)
જે લોકો સત્સંગ કરે છે તેઓ તન-મનથી શુદ્ધ થઈ જાય છે, સમાજસેવા અને માનવસેવાના રંગે રંગાઈ જાય છે. શરીર નશ્વર છે તેનું તેમને જ્ઞાન થતાં તેઓ મોહ-માયા-મદ-મત્સરના બંધનોમાંથી છૂટી જાય છે. આવા સત્સંગીઓનું કુળ પવિત્ર થઈ જાય છે.
વિદ્યા કામધેનુ સમાન છે. તે ખરાબ સમયમાં પણ સારું ફળ આપે છે, પ્રવાસમાં તે માતાની જેમ રક્ષણ કરે છે અને એ એક પ્રકારનું ગુપ્ત ધન છે. : ચાણક્ય નીતિ ગુજરાતી પુસ્તક
જેમ કામધેનુ મનુષ્યની તમામ ઇચ્છા પૂર્ણ કરે છે તેમ વિદ્યા પણ માણસની તમામ કામના પૂરી કરે છે. મનુષ્યનો ખરાબ ( chadakya niti in hindi ) સમય આવે ત્યારે સગાં-સંબંધીઓ અને લક્ષ્મી તેનો સાથ છોડી દે છે, પણ વિદ્યા ક્યારેય પોતાના ઉપાસકનો સાથ છોડતી નથી. તેનો ઉપયોગ કરીને માણસ ખરાબ સમયમાં તરી જાય છે અને ફરી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
વિદ્યા ગુપ્ત ધન છે જે કોઈને દેખાતી નથી. તેને તો માત્ર અનુભવી શકાય છે. તેને મનુષ્ય પાસેથી કોઈ છીનવી શકતું નથી. પરદેશમાં વિદ્યા જ માતાની જેમ માર્ગદર્શક બને છે.
પક્ષીઓમાં કાગડો, પશુઓમાં કૂતરો, મુનિઓમાં પાપી અને મનુષ્યોમાં બીજાની નિંદા કરનારી વ્યક્તિ ચંડાળ સમાન છે
જે બીજાનું ભોજન હરી લે છે, જે કોઈ પણ જગ્યાએ ગમે તેવું ભોજન કરે છે, જે પાપી છે અને સતત બીજાની નિંદા કરે છે તેને ચંડાળ કહેવાય છે. વૈદિક સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા જન્મને આધારે નહિ પણ કર્મને આધારે છે. જે પ્રાણીમાં આ પ્રકારના દુર્ગુણ જોવા મળે તેની ગણના ચંડાળ તરીકે થાય છે.
પક્ષીઓમાં કાગડો અધમ વૃત્તિનો હોય છે. તે બીજાનું ભોજન હરી લેતા અચકાતો નથી. તે લુચ્ચો છે. તેની વાણી કર્કશ છે અને કડવાશ જ ઝરે છે. તે જ રીતે પશુઓમાં કૂતરો પણ કોઈ પણ સ્થળે ગમે તેવું ભોજન કરી લે છે. તે કચરાના ઢગમાંથી વિષ્ટા પણ આરોગી જાય છે. જે તેને ભોજન આપે તેનો તે ગુલામ થઈ જાય છે.
ઋષિ-મુનિઓ સાત્ત્વિકતાનું પ્રતીક છે. સત્ય, ક્ષમા, દયા-કરુણા અને પવિત્રતાનું ઝરણું તેના હૃદયમાંથી વહેતું હોય છે, પરંતુ જે મુનિ સદાચારી નથી અને મોહમાયાના બંધનમાં જકડાયેલો છે તે સૌથી મોટો પાપી છે. ધર્મના નામે તે અધર્મ આચરે છે.
નિંદા – મનુષ્યનો સૌથી મોટો રસ છે. તેને બીજા માણસની ટીકા નિંદા કરવામાં સૌથી વધુ મજા આવે છે, પરંતુ પીઠ પાછળ માણસની નિંદા કરનારનો વિશ્વાસ ક્યારેય ન કરવો. ‘મુખ મેં રામ, બગલ મેં છુરી’ જેવી ૪ નીતિ રાખતા આવા માણસો ચંડાળ સમાન હોય છે.
જ્યાં જળ હોય છે ત્યાં જ હંસ રહે છે. જ્યારે જળ સુકાઈ જાય છે ત્યારે હંસ તે સ્થાનનો ત્યાગ કરી બીજે ચાલ્યા જાય છે.
જે તળાવમાં પાણી વધારે હોય છે ત્યાં હંસ પોતાનો નિવાસ કરે છે, પરંતુ તળાવ સુકાઈ જાય ત્યારે હંસ ત્યાંથી ઊડીને બીજે ચાલ્યા જાય છે. તેમને જ્યાં વધારે પાણી દેખાય છે ત્યાં રહેવા લાગે છે.
મનુષ્ય હંસ જેવું સ્વાર્થી ન બનવું. તેણે જેનો ત્યાગ કર્યો હોય તેની સાથે કાયમ માટે સંબંધ કાપી ન નાંખવો. જીવન સુખદુઃખનો સરવાળો છે.
ક્યારે કોની જરૂર પડે તે નક્કી નથી ? એવું બને કે, તમે જેનો ત્યાગ કર્યો હોય તેની ફરી જરૂર પડે. તેનો ફરી આશ્રય લેવાનો પણ સમય આવે. મનુષ્યે એક વખત જેનો આશ્રય લીધો હોય તેનો શક્ય હોય ત્યાં સુધી ત્યાગ ન કરવો અને ત્યાગ કરે તો પણ તેની સાથે મિત્રતા જાળવી રાખવી જોઈએ.
સોનામાં સુગંધ નથી, શેરડીને મીઠા ફળ નથી, ચંદનનાં વૃક્ષોને પુષ્પો ખીલતાં નથી, વિદ્યાવ્યાસંગી વિદ્વાનો ધનવાન હોતા નથી ને પ્રજાપ્રેમી રાજાને લાંબું આયુષ્ય હોતું નથી.
સોનામાં સુગંધ હોત તો એ કેટલું અદ્ભુત હોત. શેરડીના છોડ પર થનારાં ફળ કેટલાં મીઠાં હોત અને ચંદનના ઝાડ પર ઊગનારાં ફૂલ એટલાં જ સુગંધીદાર હોત. વિદ્વાન પાસે જ્ઞાન ભંડાર ભરપૂર હોય છે પણ ધનના ભંડાર ખાલીખમ. ખરેખર વિદ્વાન વ્યક્તિ ધન મેળવવાને લાયક હોય છે, જ્યારે પ્રજાના હિતોનું રક્ષણ કરનારા રાજાનું આયુષ્ય મોટાભાગે ટૂંકું જ હોય છે.
એ સમયે જ્યારે બ્રહ્મા આ તમામનું સર્જન કરતા હશે ત્યારે આવી સમજ આપનાર કોઈ નહિ હોય, કે શું ?ચાણક્ય જેવા સલાહકાર વિધાતાને મળી ગયા હોત તો સૃષ્ટિ કેટલી સુંદર હોત !
લોભી મનુષ્યને ભિખારી શત્રુ લાગે છે અને મૂર્ખ વ્યક્તિને સલાહ આપનાર શત્રુ છે. તે જ રીતે વ્યભિચારિણી સ્ત્રી પોતાના પતિને અને ચોર ચંદ્રમાને પોતાના દુશ્મન ગણે છે.
લાલચુ વ્યક્તિથી ક્યારેય પૈસો છૂટતો નથી. જો કોઈ તેની પાસે એક પૈસો પણ માગે તો તેને માગનાર પોતાના દુશ્મન જેવો લાગે છે. મૂર્ખને ગમે તેટલો સમજાવીએ તોપણ તે તેની મૂર્ખતા નથી છોડતો. કોઈ તેને સમજાવે તે તેને ગમતું નથી. તેવી જ રીતે ચારિત્ર્યહીન સ્ત્રીને તેનાં દુષ્કર્મો કરવામાં પતિ નડતરરૂપ લાગે છે. રાત્રિના અંધકારમાં ચંદ્રનો જ પ્રકાશ હોય છે, એટલે ચોરને ચોરી કરવામાં ચંદ્રમાનું આછું અજવાળું પણ બાધારૂપ લાગે છે.
જે શાણા પુરુષો પોતાના ભાઈભાંડુઓ સાથે સજ્જનતાપૂર્વક અને નમ્રતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે અને દુર્જન સાથે જેવા સાથે તેવાની જેમ વર્તે છે; સજ્જન વ્યક્તિને આદર આપે છે, પાપી વ્યક્તિ પ્રત્યે કડક વલણ રાખે છે અને વિદ્વાન સાથે સરળતાથી વર્તે છે. શક્તિશાળી લોકોની સાથે વીરતા અને પરાક્રમથી કામ લે છે; ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઈ વ્યવહાર કરે છે અને સ્ત્રીઓ પર અંધવિશ્વાસ ન મૂકતાં તેમની સાથે ચાલાકીથી વર્તે છે, તેઓના કારણે જ આ સંસારનો કાર્યવ્યવહાર થાળે છે.
સાપનું ઝેર તેના દાંતમાં હોય છે. માખીનું ઝેર તેના માથામાં હોય છે. વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. એટલે કે દરેક ઝેરીલાં પ્રાણીઓના એકાદ અંગમાં જ ઝેર હોય છે, પરંતુ દુર્જન વ્યક્તિનાં બધાં જ અંગમાં ઝેર ભરેલું હોય છે.
ચાણક્યનું કહેવું છે કે દુર્જન વ્યક્તિ કોઈ પણ માટે સારું વિચારી શકતી નથી. તે હંમેશાં ઝેર જ ઓક્યા કરે છે. ઝેરીલાં પ્રાણીઓમાં પણ મર્યાદિત પ્રમાણમાં ઝેર રહેલું હોય છે, પણ ઝેરીલી વ્યક્તિ આખેઆખી ઝેરથી જ ભરેલી હોય છે, જે ક્યારેય ઓછું થતું નથી. ઝેરનું દૃષ્ટાંત આપી ચાણક્યે અહીં દુર્જન વ્યક્તિના દુર્ગુણોની વાત કહી છે.
જે વ્યક્તિ લેણદેણમાં, વિદ્યા કે હુન્નર શીખવામાં, ભોજન સમયે અને વ્યવહારમાં શરમ-સંકોચ છોડી સ્પષ્ટ વાત કરે છે તે જ સુખી થાય છે.
કોઈને ઉધાર આપતી વખતે, કોઈની પાસેથી ઉધાર લેતી વખતે, કોઈની પાસેથી પોતાની બાકી નીકળતી રકમ પરત લેતી વખતે કે અનાજની લેણદેણમાં કોઈ પણ પ્રકારની શરમ રાખવી ન જોઈએ.
મનુષ્ય માટે યોગ્ય એ જ છે કે, તે લેણદેણમાં ચોખ્ખો હિસાબ રાખે. વિદ્યા કે હુન્નર શીખતી વખતે શરમ ન રાખવી જોઈએ. શીખવાની પ્રક્રિયા દરમિયાન જ્યાં પણ સમજણ ન પડે ત્યાં સંકોચ રાખ્યા વિના પૂછી લેવું જોઈએ. જમતી વખતે પણ શરમસંકોચ રાખ્યા વગર પોતાને શું અનુકૂળ આવશે એ સ્પષ્ટ જણાવવું જરૂરી છે. નહીંતર ક્યારેક ભૂખ્યા રહેવાની પણ નોબત આવી પડે !
સંબંધીઓ સાથે વ્યવહારમાં મધુર, સત્ય અને સ્પષ્ટતા હોવી જોઈએ. વ્યક્તિએ શરમ-સંકોચ છોડી સદાય સત્ય વાત કહેવી જોઈએ અને વ્યવહારિક માર્ગ અપનાવવો જોઈએ.