આ જીવન મૃત્યુ ગુજરાતી પુસ્તક માં ( Osho Gujarati Book ) તમને શું જાણવા મળશે ?
બાળક જ્યારે જન્મે છે ત્યારે તે રડે છે અને બધા સગાઓ હસે છે. કે બાળકનો જન્મ થઈ ગયો. પછી તેને ઘોડિયામાં અથવા પારણામાં જે કપડું બાંધેલું હોય તે ખોયામાં સુવાડે છે. તે ખોયુ એટલા માટે છે કે મનુષ્ય જન્મે તે ક્ષણથી એ વાત નક્કી છે કે તે આ ક્ષણથી મૃત્યુ તરફ જઈ રહ્યો છે. તેને ખોયામાં નાખીએ એટલે તેને એક દિવસ ખોવાનું – ગુમાવવાનું છે. તે નક્કી છે. મનુષ્ય જન્મે છે, જે જન્મે તેના જીવનમાં એક વાત નક્કી, થવાની છે કે તે મૃત્યુ પામશે, જન્મ અને મૃત્યુ એ નદીના બે કિનારા છે. નદી બે કિનારા વચ્ચે વહે છે. મનુષ્ય પણ જન્મ અને મરણના બે કિનારા વચ્ચે જીવે છે, વહે છે.
ઓશો પ્રવચનોમાં અનેક વખત કહે છે કે, ‘તૈરો મત બહો’, પણ મનુષ્યો નદીની સાથે તેના વ્હેણ પ્રમાણે વહેતા નથી અને તેની ઉલ્ટી દિશામાં તરે છે અને ફાંફાં મારે છે. સખત મહેનત કરે છે અને હેરાન પરેશાન આખી જીંદગી થાય છે. ને ભગવાનનો વાંક કાઢે છે કે અમને – કેટલું બધું દુ:ખ આપ્યું છે. જે માણસ નદીની-જીવનની સાથે સહજતાથી, સરળતાથી, પ્રભુનો પ્રસાદ સમજીને અસ્તિત્વની મરજી સમજીને જીવે છે તેને દુ:ખમાં પણ સુખનો અનુભવ થાય છે, એક પંક્તિ છે, કે
સુખ આતા હૈ, દુ:ખ આતા હૈ…
આતે, જાતે સુખ, દુ:ખ મેં હમ મસ્તે રહેતે હૈ, હમ મસ્તે રહે તે હૈ…
સુખ અને દુ:ખ જીવનમાં આવે એમાં આખી જિંદગીમાં તેનું મૂલ્ય કેટલું છે ? તે વિચારો તો તે બન્ને હળવા લાગશે તેના ભાર નીચે દટાઈ નહીં જાવ.
સુખદુ:ખથી આગળ આનંદ છે. મસ્તી છે. જેણે તે બધું સ્વીકારી લીધુ છે તે મનમાં પ્રભુને કહે છે કે ‘મેં હર હાલમે રાઝી, તેરી મરજી મેં મેરી મરજી
જે માણસ જીવન પ્રેમથી – આનંદથી, મસ્તીથી, સરળતાથી, સહજતાથી કૃતજ્ઞતાથી જીવ્યું હોય તેને જ મૃત્યુ – મહોત્સવ લાગે . અને તે મૃત્યુ વખતે હસે અને જગત-સગા- સંબંધીઓ રડે.

આ જીવન મૃત્યુ ગુજરાતી પુસ્તક ઓશોના પ્રવચનો જેમ જેમ હું સાંભળતી જાઉં તેમ તેમ તેમાં આવેલી મૃત્યુ વિશેની ઓશોની વિચારધારા હું સાંભળું અને મને એમ થાય કે આ મૃત્યુ-જીવન ઉપર એક પુસ્તક છપાવું જ જોઈએ. તેથી લોકો હળવા થાય. જીવન જીવવાની રીત સમજે અને તેને અનુસરવાની પ્રેરણા મળે.
આ પહેલાં જીવન મૃત્યુ ગુજરાતી પુસ્તક ની પાર નાની પુસ્તીકા મેં છપાવી હતી. ૧૦૦૦ કોપી, લગભગ ૨૦૦૬માં તે ખૂબ જ ઝડપથી વેચાઈ અને વહેંચાઈ ગઈ હતી. પછી ઘણા વખતથી ફરીથી છપાવવાનો ભાવ હતો પણ કાંઈ સંજોગો જ ના આવ્યાં અને હવે તેનાથી વધુ અને નવા પ્રસંગો સાથે ફરીથી જીવન- મૃત્યુ અસ્તિત્વના બે કિનારા છપાવવાનો સમય આવ્યો છે તેથી આશા રાખું છું કે ઓશોને વધુમાં વધુ લોકો સમજે અને જીવનમાં ઉતારે અને જીવનને અને મૃત્યુને બંનેને ઉત્સવની જેમ જીવે. જીવન તો બધા જીવે છે પણ જીવનને મ્હાણતા નથી. લગ્નો, બર્થડે પાર્ટીને વગેરે પાર્ટીઓને મન દઈને મ્હાણો છો, પાર્ટી દરમ્યાન, તે રીતે આખા જીવનને મ્હાણો, સાક્ષી ભાવે જીવો મરો મરો રે જોગી મરો જીસ વિધ ગોરખ મરી દીઠા.

- મૃત્યુની ધરા પર જીવન
- કારણ દુ:ખ છે, સુખ સ્વભાવ છે.
- જુવાનીનો અર્થ છે જીવવું.
- જીવન શું છે ? મૃત્યુ શું છે ?
- મૃત્યુ એક પરિવર્તન.
- સંપૂર્ણ તથાતાભર્યું જીવન.
- વિદાયનો આનંદ.
- પરમાત્મા એક છે, સૂક્ષ્મ શરીર અનંત છે સ્થૂળ શરીર અનંત છે.
- સ્વયંને મૃત્યુ માટે તૈયાર કેવી રીતે કરશો ?
- શરીરની વિદાય લેવાની ક્ષમતા.
- સંમોહનની એકવિધિ
- ઓશોના છેલ્લા ૧૧૧૧ દિવસોની ગાથા.
- જીવનમાં મૃત્યુ એ એકમાત્ર નિશ્ચિત ઘટના.
- ઓશો : સાહિત્ય જગતની વિરલ ઘટના.
આ જીવન મૃત્યુ ગુજરાતી પુસ્તક માં આપેલ 14 પ્રકરણ તમને જીવનમાં જીવવાની નવી રીત શિખવાડશે, આ પુસ્તક તમારી જગત ને જોવાની પદ્ધધતી બાલદી નાખવાની તાકાત ધરાવશે. વારંવાર વાંચ વાંચ કરતાં રહીએ તે પ્રમાણેનું આ ગુજરાતી પુસ્તક છે. વર્ષ ૨૦૧૪ થી સતત છપાય છે અને વંચાય છે. પુસ્તક ખરીદવા માટે વધુ માહિતી માટે 7878396161 નંબર પર કોન્ટેક કરવો.