આ પુસ્તક ગુજરાતી ગદ્યાર્થગ્રહણ કેમ વાંચવું જોઈએ.
ગુજરાતી ગદ્યાર્થગ્રહણ અન્વયે ગદ્યખંડ (ગદ્યાંશ)માં મુખ્ય અને પેટા વિચારોને નકંબઢ રીતે દષ્ટાંતો અને તર્ક દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમજ આ ગદ્યખંડના આધારે પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે. જેને ગદ્યસમીક્ષા પણ કહે છે.
ગદ્યખંડનો અર્થ ગ્રહણ કરવો એટલે ગદ્યાર્થગ્રહણ.
ગધાર્થગ્રહણ માટે નીચેની મુખ્ય 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ગદ્યખંડનું વાંચન–અર્થગ્રહણ
પ્રશ્નોનું વાંચન –સમજ
પ્રશ્નના વિકલ્પોનું વિશ્લેષણ – સાચા જવાબની પસંદગી
1. ગદ્યખંડનું વાંચન-અર્થગ્રહણ
ગદ્યખંડનું ( Gadhyarth grahan in gujarati pdf ) લખાણ કાલ્પનિક અથવા વાસ્તવિક હોઈ શકે છે. આ ઉપરાંત ગદ્યખંડમાં આપેલ વિષય અંગે લેખકની લાગણી સકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે છે.
ગદ્યખંડનું કાળજીપૂર્વક એકાગ્રચિત્તે વાંચન કરવાથી, જો સૌપ્રથમ તેની થીમનો પ્રકાર જાણી શકાય તો તેનું અર્થગ્રહણ સરળતાથી કરી શકાય છે.
હકીકતમાં ગદ્યખંડની થીમ માનવતાવાદી, સમીક્ષાત્મક, વર્ણનાત્મક, વ્યંગાત્મક(કટાક્ષપૂર્ણ), વિચારાત્મક, કઠોર, પલપાતી, વિશ્લેષણાત્મક, અંતર્મુખી, પ્રેરણાદાયક વગેરે જેવા ઘણા પ્રકારોની હોય છે.પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં યોગ્ય અર્થગ્રહણ પ્રાપ્ત કરવાના હેતુસર થીમના આધારે ગદ્યખંડને મુખ્યત્વે નીચે મુજબના ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય છે.
જે ગદ્યખંડમાં કોઈ વિષય અંગે વિવેચનાત્મક સમીક્ષા અને ચિંતન કરી તેને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવેલ હોય તેને ચિંતનાત્મક ગદ્યખંડ કહે છે. આ ગદ્યખંડ ( ગુજરાતી ગદ્યાર્થગ્રહણ pdf ) માં કોઈ વિષયના સકારાત્મક અને નકારાત્મક પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવતું હોવાથી તેને ‘વિશ્લેષણાત્મક ગદ્યખંડ’ પણ કહી શકાય છે.ચિંતનાત્મક ગદ્યખંડોમાં નૈતિકતા, સત્ય, જીવન અને અસ્તિત્વ વિશેના બૃહદ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી હોય છે.
આ પ્રકારના ગદ્યખંડમાં માત્ર સમજણ કે સત્ય હોતુ નથી, પરંતુ તેમાં વાંચનારને વિચારતા કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ હોય છે.
આથી તેને પ્રેરક વાક્ય કહે છે, અહીં લેખકનો મુખ્ય ઉદ્દેશ વાંચનારને કોઈ દૃષ્ટિકોણ અંગે પ્રભાવિત કરવાનો ગદ્યખંડ પણ કહી શકાય છે.
આ પ્રકારના ગદ્યખંડોને વિષયસમીક્ષાના આધારે તત્ત્વચિંતન, મનોવિજ્ઞાન, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક, પર્યાવરણ, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક શિક્ષણ, , આરોગ્ય, આરોગ્ય, મહિલાઓ, યુવાનો વગેરે), વહીવટી વગેરે જેવા પેટા પ્રકારોમાં વહેંચી શકાય છે.
(GSSSB Sub Inspector Instructor 187/2020-21)
ઉદાહરણ Gadhyarth grahan in gujarati pdf:
વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય પોતાનાં મગજને સ્વતંત્ર રાખવાનું છે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો સૌથી વધુ અધિકાર વિદ્યાર્થીનો છે. શ્રદ્ધા વિના વિદ્યા સંભવિત નથી. જ્ઞાનનો આરંભ શ્રદ્ધાથી થાય છે, પરંતુ પરિસમાપ્તિ સ્વચિંતનથી થાય છે. વિદ્યાર્થીનું બીજુ કર્તવ્ય જાત પર કાબૂ રાખવાનું છે. જો વિદ્યાર્થી સત્ય સંકલ્પ કરતો થઈ જાય તો વિશ્વની કોઈ પણ તાકાત તેને અટકાવી શકે નહિં. ત્રીજું કર્તવ્ય સેવા ભાવનાનું, સેવા વિના જ્ઞાન નથી. મહાભારતના યક્ષપર્વમાં વૃદ્ધોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે પ્રકારની કથા છે. વિદ્યાર્થીનું ચોથું કર્તવ્ય સાવધાન રહેવું તે છે. દુનિયાની તમામ બાબતોનું તટસ્થ બુદ્ધિથી અવલોકન કરવું જોઈએ. બુદ્ધિ સંકુચિત ન હોવી જોઈએ અને દિલ તથા દિમાગ વિશાળ કરવા જોઈએ.
(તત્ત્વચિંતન)
-વિનોબા ભાવે
2. પ્રશ્નોનું વાંચન-સમજ ( ગુજરાતી ગદ્યાર્થગ્રહણ pdf )
ગદ્યખંડનો અર્થગ્રહણ પ્રાપ્ત કર્યા બાદ પ્રશ્નોનું પણ કાળજીપૂર્વક અને એકાગ્રચિત્તે વાંચન કરવાથી પૂછવામાં આવેલ પ્રશ્નની સમજ કેળવી શકાય છે.
ગદ્યાર્થગ્રહણમાં પૂછાતા પ્રશ્નો સામાન્ય રીતે એકબીજાથી સ્વતંત્ર હોય છે એટલે એક પ્રશ્નના જવાબની બીજા પ્રશ્નના જવાબમાં પુનરુક્તિ થવાની શકયતા ખૂબ ઓછી હોય છે.
ગધાર્થગ્રહણ માટે યાદ રાખવાના મહત્ત્વના મુદ્દાઓ
ગદ્યખંડમાં આપેલા વિરામચિહ્નો અને ઉદાહરણો તેનો અર્થ સમજવામાં મદદરૂપ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખી ગદ્યખંડનું વાંચન કરવું જોઈએ.
સૌપ્રથમ ગદ્યખંડને કાળજીપૂર્વક વાંચવાથી તેમાં આપેલ મહત્ત્વપૂર્ણ માહિતીનું વિશ્લેષણ કરી શકાય છે અને તેના આધાર પ્રશ્નોના ઉચિત જવાબ શોધવામાં સરળતા રહે છે. પરંતુ જો સૌપ્રથમ પ્રશ્નો કે વિકલ્પો એકવાર વાંચ્યા પછી ગદ્યખંડ વાંચવામાં આવે તો આપણું મન પ્રશ્નો સંબંધિત માહિતી ગદ્યખંડમાં શોધવાનો પ્રયત્ન વધુ કરે છે જેનાથી ગદ્યખંડનો મુખ્ય વિચાર કે હાર્દ સમજવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આથી આદર્શ રીતે સૌપ્રથમ ગદ્યખંડ વાંચવો હિતાવહ છે. પરંતુ જો ઓછા સમયમાં ગદ્યખંડ વધુ શબ્દોનો આપેલ હોય તો તેવા સંજોગોમાં ગદ્યખંડની પહેલાં તેના પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચી જવા અને ત્યારબાદ ગદ્યખંડ વાંચતાં સમયે જ પ્રશ્નની સંઘમ માહિતી ગદ્યખંડની જે લાઈનમાં આપેલી હોય ત્યાં રેખાંકિત કરતા જવું. આમ કરવાથી ઓછા સમયમાં પણ તેને યોગ્ય ન થાય
જો ગદ્યખંડમાં આવતા સૂચક શબ્દો અને વાકયોનો અર્થ ખબર ન હોય તો તેની આગળ પાછળના વાકયોનો સંદર્ભ લઈને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો.
ગદ્યાર્થગ્રહણમાં આપેલા પ્રશ્નોના જવાબો ગદ્યખંડમાં તે જ ક્રમમાં મળી જાય તેવું જરૂરી નથી. એટલે કે ગદ્યખંડમાંથી શોધવાના જવાબો ઉપર-નીચે પણ હોઈ શકે છે.
તથ્યાત્મક ગદ્યખંડમાં આપવામાં આવેલી માહિતી દેખીતી રીતે અસત્ય લાગતી હોવા છતાં તેને સત્ય માની તેના આધારે જવાબ પસંદ કરવા. જ્યાં સુધી પ્રશ્નમાં મંતવ્ય પૂછવામાં ન આવે ત્યાં સુધી અંગત વિચારો કેળવવાનો આગ્રહ રાખવો નહીં.
જ્યારે આધ્યાત્મિકતા, નૈતિકતા વગેરે જેવા દર્શનશાસ્ત્ર સંબંધિત વિષયનો ચિંતનાત્મક ગદ્યખંડ આપેલો હોય ત્યારે સૌપ્રથમ મ ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચી તેમાં આપેલા વિચારોને સમજવાનો પ્રયત્ન કરવો ત્યારબાદ પ્રશ્નો વાંચવા. પ્રશ્નો વાંચી ગદ્યખંડનો આધાર લઈ, તેમાં પૂછેલા પ્રશ્નોને પોતાની સમજણ મુજબ જવાબ પસંદ કરવો.