Parmatma Na Parenting Patro by DR Nimitt Oza Book
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે?
પરમાત્મા ના પેરેન્ટિંગ પત્રો DR નિમિત ઓઝા ગુજરાતી પુસ્તક
એ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાં રહેલો છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખાયેલા પત્રો દ્વારા પરમાત્માએ આપણને પૅરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે અને શિખામણ દરેક વાલીને! જગતના મહાનુભાવો, વિચારકો, વિજ્ઞાનીઓ અને મહાત્માઓએ પોતાના સંતાનોને લખેલા અદ્ભુત અને અસાધારણ પત્રોનું આ લાગણીશીલ સંપાદન છે.
આ પરમાત્મા ના પેરેન્ટિંગ પત્રો DR નિમિત ઓઝા ગુજરાતી પુસ્તક માં રહેલા બાળ-ઉછેર અને બાળ-કેળવણીના ગહન વિચારો વાંચ્યા પછી સમજાય છે કે આ પત્ર લખનાર કોઈ સામાન્ય પિતા ન હોઈ શકે. આ પત્ર તેમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. એ રીતે આ પરમાત્માએ બાળકોને લખેલા પત્રો છે. આ પુસ્તક ફક્ત વાંચવા માટે નહીં, વસાવવા, વહેંચવા અને આત્મસાત્ કરવા માટે છે. અંદર રહેલા પત્રો કે પ્રસંગોમાંથી એકાદ ઘટના પણ જો આપણા અંતરમનની બારી ખોલી શકે, તો આ પુસ્તકનું પ્રાગટ્ય સાર્થક થયું ગણાશે.
ડૉ નિમિત્ત ઓઝા
Reviews
There are no reviews yet.