જીવનને પરિવર્તિત કરી દેનારી ફિલોસોફી સાથે ની ચર્ચા એટલે 101 Sadabahar Vartao
૧૦૧ સદાબહાર વાર્તાઓ (101 Sadabahar Vartao ) રોચક કિસ્સાઓ અને રમૂજોનો એવો સંગ્રહ છે, જે વાચકોને મહાપુરુષો, દાર્શનિકો અને વૈજ્ઞાનિકોની રોમાંચક દુનિયાની સફર ઉપર લઈ જાય છે. વાર્તાઓ અને રમૂજો હંમેશા ઊંડામાં ઊંડી વાતને આસાનીથી મનનાં ઊંડાણ સુધી પહોંચાડવાના સર્વશ્રેષ્ઠ માધ્યમ રહ્યાં છે.
બસ, આ જ વાતને ધ્યાનમાં રાખીને, લેખક દીપ ત્રિવેદીએ આ સંગ્રહમાં, ન માત્ર અનેક પ્રચલિત શ્રેષ્ઠ વાર્તાઓ અને રમૂજોમાં અધિક રોચકતા ઉમેરીને એના સાઈકોલૉજિકલ પાસાંઓને ઉભારવાની કોશિશ કરી છે, બલ્કે સરળમાં સરળ ભાષાનો ઉપયોગ કરીને, તેમણે પોતાની જ આગવી શૈલીમાં હાસ્ય અને વ્યંગનું અદ્ભુત મિશ્રણ પણ રજૂ કર્યું છે. સાથોસાથ તેમણે આ વાર્તાઓનાં ઊંડા ફિલૉસોફિકલ પાસાંઓને સાર સ્વરૂપે સમજાવ્યા પણ છે. નિશ્ચિત જ આને વાંચવાથી, ન માત્ર તમને મજા આવશે, બલ્કે એનાથી તમારા જીવનમાં જરૂરી સકારાત્મક પરિવર્તન પણ આવશે.

101 Sadabahar Vartao ના લેખક દીપ ત્રિવેદી પરિચય
દીપ ત્રિવેદી એક પ્રસિદ્ધ લેખક, વક્તા અને સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના અગ્રિમ પ્રણેતા છે, જેઓ એક વ્યાપક દ્રષ્ટિકોણથી ન માત્ર લખે છે, બલ્કે વિભિન્ન વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશૉપ્સ પણ આયોજીત કરે છે. તેમની સહુથી મોટી વિશેષતા એ છે કે તેમને વાંચવા અને સાંભળવા-માત્રથી માણસમાં આમૂલ સકારાત્મક પરિવર્તન આવી જાય છે. તેઓ પોતાના કાર્યો દ્વારા, આજ સુધી લાખો લોકોને સુખ અને સફળતાના માર્ગ પર અગ્રસર કરી ચૂક્યા છે.
દીપ ત્રિવેદીએ પોતાના આ કાર્યો દ્વારા પ્રકૃતિ, તેના નિયમ, તેનું આચરણ, તેની સાયકોલૉજી અને તેના માનવી-જીવન પર પડનારા પ્રભાવને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યા છે. જીવનનું એવું કોઈપણ પાસું નથી જે તેમણે સ્પર્યું ન હોય. તેઓ કહે છે કે સાયકોલૉજી વિશે ઓછું જ્ઞાન અને અલ્પ સમજણ હોવી, એ જ મનુષ્ય-જીવનના તમામ દુઃખો અને અસફળતાઓનું મૂળ કારણ છે.
તેઓ બેસ્ટસેલર્સ ‘હું મન છું’ અને ‘હું કૃષ્ણ છું’ સહિત અન્ય અનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તેમણે લખેલું બેસ્ટસેલિંગ પુસ્તક ‘હું મન છું’ ઘણી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. સમાજમાં તેમના અસીમિત યોગદાન માટે દીપ ત્રિવેદીનેવર્ષ 2018 ના Times Power Men Award થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આનાથી વિશેષ અષ્ટાવક્ર ગીતા તથા તાઓ-તે-ચિંગ પર સર્વાધિક વ્યાખ્યાનો આપવાનો રેકૉર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. આ બધા રેકૉર્ડ્સ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય રેકૉર્ડ પુસ્તકોમાં નોંધાયેલ છે. તદુપરાંત મનુષ્યના જીવન, સાયકોલૉજી, આત્મા, પ્રકૃતિનાં નિયમ, ભાગ્ય તથા અન્ય વિષયો પર સર્વાધિક (લગભગ ૧૨૦૩૮) ક્વોટેશન લખવાનો રેકૉર્ડ તેમના નામે નોંધાયેલો છે. ભગવદ્ગીતા પર તેમના સાયકોલૉજિકલ કાર્યો માટે ઑનરરી ડૉક્ટરેટની ડીગ્રીથી પણ તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. તેમના દ્વારા આયોજીત ઈંટર-એક્ટિવ વર્કશૉપ્સે પણ લોકોના રોજીંદા જીવનની સમસ્યાઓ ઉકેલીને, તેમના જીવનમાં ક્રાંતિકારી ટ્રાંસફૉર્મેશન લાવ્યું છે. આ તમામ વ્યાખ્યાનો અને વર્કશૉપ્સ ભારતમાં લાઈવ ઑડિયન્સની સામે આપવામાં આવ્યા છે.
દીપ ત્રિવેદીની ખાસ વાત એ છે કે તેઓ જીવનના ગહનતમ પાસાઓને સ્પર્શે છે અને તેમને સરળતમ ભાષામાં લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે, જેને કારણે કન્ફ્યૂઝનની ક્યાંય કોઈ ગુંજાઈશ જ નથી બચતી. તેઓ પોતાના પુસ્તક, વ્યાખ્યાનો અને વર્કશૉપ્સમાં જે અનોખી સ્પિરિચ્યુઅલ-સાયકોલૉજિકલ ભાષા તથા અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે, તેનો વાચકો અને શ્રોતાઓ પર તાત્કાલિક પ્રભાવ પણ થવા લાગે છે અને આ જ વાત તેમને આ ક્ષેત્રના અગ્રિમ પ્રણેતા બનાવે છે.

નિશ્ચિત જ વાર્તાઓ હોય કે જોક્સ; બંનેય હંમેશાથી પોતાની વાત કહેવાનું અને સમજાવવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ રહ્યું છે. ઊંડામાં ઊંડી વાત પણ વાર્તાઓ અને ટુચકાઓને સહારે સહેલાઈથી સમજાવી શકાય છે. એમને યાદ રાખવા પણ બહુ સરળ હોય છે. અને વાત મનનાં ઊંડાણ સુધી પહોંચાડવામાં તો આમ પણ આ બન્નેનો કોઈ મુકાબલો નથી.
વળી એ પણ સાચું છે કે માણસ પોતાના જીવનની હજારો ગૂંચવણોમાં ફસાયેલો છે. શારીરિક હોય કે માનસિક, સાંસારિક હોય કે વ્યાવસાયિક, એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં તે સ્ટ્રગલ ન કરી રહ્યો હોય. દેખીતી રીતે, સંઘર્ષ કોઈને નથી ગમતો. માણસ તેમનાથી છુટકારો પણ ઇચ્છે છે. અને માણસનો જીવનનાં સંઘર્ષોમાંથી છુટકારો થઈ શકે, એ માટે મહાન લોકો દ્વારા અનેક સાયકોલૉજીકલ માર્ગદર્શન આપવામાં પણ આવ્યા છે. પરંતુ તેમની ગહનતાઓમાં જઈને તેમનો લાભ લેવો દરેકને માટે સહેલું નથી હોતું. આ સંદર્ભમાં, મારો એ અનુભવ છે કે એ જ વાતો જ્યારે વાર્તાઓ અને ટુચકાઓનો સહારો લઈને સમજાવવામાં આવે છે, તો એ વધુ અસરકારક અને લાભપ્રદ સાબિત થાય છે.
બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને, મેં આ સંકલનમાં ન માત્ર અનેક શ્રેષ્ઠ પ્રચલિત વાર્તાઓ અને ટુચકાઓને અતિરિક્ત રોચકતા પ્રદાન કરતા, એમના સાયકોલૉજીકલ પાસાને ઉભારવાની કોશિશ કરી છે, બલ્કે આની ઘણી વાર્તાઓ અને ટુચકાઓ મેં જાતે પણ લખ્યા છે.